ઇ-ક્વિઝ વિજેતાઓને કલેક્ટરના હસ્તે અપાયા પ્રમાણપત્ર
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
આ પ્રસંગે ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, દ્વારકા મામલતદાર વી.કે. વરુ તેમજ સંગઠન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- "નાગેશ્વર" મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરતાં તમિલ બાંધવો -
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા ખાતે આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોએ દારુકાવન સ્થિત નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પરિસરમાં આવેલી શિવજીની વિશાળ પ્રતિમા જોઈને તમિલ બાંધવોએ બંને હાથ જોડીને વંદન કર્યા હતા.
અહીં તમિલ મહિલા યોગવલ્લીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર બે જ્યોતિર્લિંગ આવેલા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર. આ બંને જ્યોર્તિલિંગના દર્શન કરી ધન્યતા અનુભવું છું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી મને મારા મૂળ વતનમાં આવવા માંડ્યું તેના માટે હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માનું છું.
વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા બાંધવો દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા છે. ત્યારે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરી પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. સૌરાષ્ટ્રીયન તમિલ મહિલા ભગવતીજીએ જણાવ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના આયોજન થકી જ સોમનાથ, દ્વારકા ખાતે અમે દર્શન કરી શક્યા છીએ. અમે આ કાર્યક્રમનો હિસ્સો બન્યા, અમે ખુબ ભાગ્યશાળી છીએ.
0 Comments
Post a Comment