લાખાબાવળ ગામના પાટીયા નજીક માણીભદ્ર વીલા પાસે રહેતા બસીલ માનસિંગભાઈ મહિડા નામના ૨૮ વર્ષના યુવાનને મંગળવારે રાત્રે સુઈ ગયા પછી ઉઠાડતાં ઉઠ્યા ન હતા, અને બેશુદ્ધ થઈ ગયા પછી તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાયસીંગભાઇ માનસિંગભાઈ મહીડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડીવિઝન  પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.