જામ ખંભાળિયા, તા. ૦૭-૧૧-૨૦૨૩  : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'સ્વરછતા હી સેવા' અભિયાન અન્વયે ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે  સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

         સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા હી સેવા' અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અન્વયે દેવભૂમિ દ્વારકા  જિલ્લાના અહીંની મામલતદાર કચેરી ખાતે કચેરી બિલ્ડિંગ, જુદી જુદી શાખાઓ, કચેરી ગાર્ડન તેમજ કચેરી કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી હતી. સાથે મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.