સ્ટેશનરીના ભાવમાં 20 થી 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો: દર વર્ષે નવા સત્રના આરંભ સાથે નોટબુક, યુનિફોર્મ સહિત વસ્તુઓના વધતા હોય છે ભાવ જયારે જામનગરમાં આ વર્ષે ઉલટું ચિત્ર

જામનગર મોર્નિંગ - જામનગર 

ધોરણ 10 અને 12 ના જોરદાર રીઝલ્ટ રહ્યા બાદ વાલીઓમાં અનેરો આનંદ જોવા મળે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ વેકેશનના મૂડમાં છે. જોકે હવે વેકેશન ખુલવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરિણામે હવે જામનગરની બજારમાં સ્ટેશનરીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ જામનગરની બજારમાં સ્ટેશનરીમાં શું નવું છે અને સ્ટેશનરીના ભાવમાં વધારો કે ઘટાડો નોંધાયો છે? બીજી તરફ સ્ટેશનરીને લઈ અને વેપારી વર્તુળનું શું માનવું છે. આવો જાણીએ વિસ્તારથી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીમિત રાયઠઠાએ જણાવ્યું કે હવે નવા સત્રનો આરંભ થવાને ગણતરીના દિવસો બાકી છે. જોકે આ અગાઉ જામનગરમાં વાલીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે નોટબુકના ભાવમાં 20 થી 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ નોટબુક, યુનિફોર્મ સહિત વસ્તુઓ ખરીદવા દોડ લગાવતા હોય છે.  બીજી બાજુ દર વર્ષે ભાવ વધારો પણ માથું ઉંચકતા હોય છે. જોકે આ વર્ષે સ્થિતિ વિપરીત છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન ભાવમાં 25થી 30 ટકા ભાવ વધતા હતા. જોકે, આ વખતે પરિસ્થિતિ ઊંધી આ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થયો હોય વાલીઓને નવા સત્રના આરંભમાં માત્ર કાગળ જ નહીં પરંતુ અન્ય સ્ટેશનરીના ભાવ પણ આ વર્ષે સ્થિર રહેતા વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. 

ગત વર્ષે રસિયા અને યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર દેશમાં કાગળની સપ્લાય માં ઘટાડો નોંધાયો હતો. જેને લઈને નોટબુકથી માંડી અને તમામ બુક્સના ભાવમાં 25% જેટલો ભાવ વધારો ઝીંકાયો હતો જો કે આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ થારે પડી હોવાથી ભાવ ઘટ્યા છે. જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને વાલીઓને થઈ રહ્યો છે બીજી તરફ બજારમાં હાલ ધીમે ધીમે ઘરાકી પણ નીકળી રહી છે. 

ચોપડાનો સારી કવોલિટીનો ભાવ 50થી 100 ભાવ જ્યારે મીડિયાના ભાવ 30થી 45 ભાવ, નોટબુક ડાયનામિક્સ સાઈઝ 40થી 60ભાવ 172 પેજ સૌથી વધારે ચાલતી સાઈઝ છે. જ્યારે પેન્સિલ  5થી 10, ઈરેઝર 1થી 10 અને ઈમ્પોર્ટેડ પાઉચ કંપાસ 100થી 250 રૂપિયા છે.